ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે, લોકડાઉન વધારવા PMની સ્ની બેઠક
રખેવાળ, ગુજરાત
અમદાવાદમાં થઈ શકે હજારો-લાખો લોકોને કોરોના, રાજ્યમાં નવા ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૧ કેસ અમદાવાદમાં માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં Covid -૧૯ના ૨૨૮ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૪૩૨એ પહોંચ્યો છે. જેને લઈ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણની ખબરો પણ સામે આવી રહી છે. ક્યાંક લોકો પોલીસ પર પથ્થરમારો પણ કરી રહ્યા છે. એક તરફ દેશની સરકાર લોકડાઉન અને સામાજિક અંતરના અમલ માટે સખત મહેનત કરી રહી છે, ત્યારે કેટલાક લોક પ્રતિનિધિઓ આ વાત પર પાણી ફેરવી રહ્યા છે. જેઓ ખુલ્લેઆમ પાર્ટીઓ કરી રહ્યા છે.કોરોના વાયરસને લઇ દક્ષિણ કોરિયાથી ચિંતિત કરતા સમાચાર સામે આવી રહ્યા છે. અહિં હોસ્પીટલમાંથી રજા મળ્યા બાદ કોરોનાનાં દર્દી ફરીથી આ વાયરસથી સંક્રમણના શિકાર થઈ રહ્યા છે.