કોરોનાનો કહેર : રાજ્યમાં સૌથી વધુ સુરતમાં નવા ૩૮ કોરોના પોઝિટિવ કેસ : કુલ ૩૩૮
અમદાવાદને પાછળ રાખીને સુરતમાં સૌથી વધુ કેસ ૬૯ નોધાયા
રખેવાળ, અમદાવાદ
ગુજરાતમાં આજના દિવસના નવા ૭૮ કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં અમદાવાદમાં ૩૨ કેસ નોંધાયા હતાં. તો સૌથી વધુ સુરતમાં ૩૮ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.રાજ્યમાં વધુ છેલ્લા ૧૨ કલાકમાં નવા ૧૨૭ કેસ નોંધાયા છે. વધુ છ લોકોના મોત નિપજ્યા છે અમદાવાદમાં વધુ નવા ૫૦ કેસ પોઝીટીવ અકિલા આવ્યા છે. આજે અમદાવાદને પાછળ રાખીને સુરતમાં સૌથી વધુ કેસ ૬૯ નોધાયા છે. અન્ય જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે નવા કેસ નીકળ્યા છે. અમદાવાદ માટે થોડીસારી બાબત કહી શકાય કે છેલ્લા પાંચેક અકીલા દિવસથી વધતા કેસોમાં આજે થોડી બ્રેક લાગી છે. કોરોના પોઝીટીવની સંખ્યા ઘટી તે સારા સમાચાર કહી શકાય. અમદાવાદમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૩૦૦ પર પહોંચવા આવી છે.