![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/phpThumb_generated_thumbnail-19.jpeg)
કોરોનાએ વધુ એક પોલીસ કર્મીનો જીવ લીધો, ૪ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે તેમનું મૃત્યુ થયું
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટનો ૪ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સામે જંગ લડતા લડતા આજે તેમનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત તેમને ન્યુમોનિયા અને લીવરની પણ તકલીફ હતી, જેને કારણે તેમને SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ બીમારીને કારણે પહેલેથી રજા પર હતા. કોરોનાની સારવાર દરમિયાન આજે તેમનું મૃત્યુ થયું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતજીનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. આમ અમદાવાદ પોલીસમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩ પોલીસકર્મીના મોત થઈ ચૂક્યા છે.