અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનના એન્જિનમાં વ્હિલ જામ થઈ ગયા : મુસાફરનો જીવ અધ્ધર

ગુજરાત
ગુજરાત

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાઇ છે. જેમાં બિકાનેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા રેલવે એન્જિનના વ્હિલ જામ થઈ ગયા હતા. વ્હિલ જામ થઈ જતા ટ્રેન કોસંબા રેલવે યાર્ડ પર થોભાવવી પડી હતી. રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ચાર કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો છે. બીજી એન્જિન ટ્રેન સાથે જોડી રેલવે વ્યવહાર શરૂ કરવાની તૈયારી કરી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી બિકાનેર બાંદ્રા એક્સપ્રેસ યાંત્રિક ખામીને કારણે કોસંબા રેલવે સ્ટેશન ખાતે અટકી ગઇ હતી. રેલવે એન્જિનના વિલ જામ થઈ જવાને કારણે ટ્રેન કોસંબા રેલવે યાર્ડ ખાતે થોભાવવી પડી હતી. રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં બંધ પડેલ એન્જિનને સાઈડમાં ખસેડી બીજી એન્જિન મંગાવી રેલવે વ્યવહાર શરૂ કરવાની તૈયારી કરાઇ હતી.


રેલવેની તમામ ટ્રેનો એક ટ્રેક પરથી દોડાવવામાં આવી રહી છે. જેમાં રેલવે વ્યવહાર ચાર કલાક સુધી ખોરવાયો છે. તેમાં તાત્કાલિક અન્ય એન્જિન મંગાવી ટ્રેન સાથે જોડી રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રેનમાં સવાર મુસાફરોએ હાસકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.