![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/વિરમગામના-ભાજપના-ધારાસભ્ય.jpg)
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જેમાં રૂપિયા 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. તેમજ જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે. 2017માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો.
ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત થઇ છે. કારણ કે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી. જેમાં 2017માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો. અગાઉ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો.
જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો. 4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.