![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/10/amit-shah-1-2.png)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 ઓક્ટોબરે યોજાનારી ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા આવે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 15 ઓક્ટોબરે પહેલા નોરતે માણસામાં પરિવાર સાથે પૂજા કરશે. તેમજ ગાંધીનગર લોકસભાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે.
14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ છે અને 14 અને 15 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જઇ શકે છે.15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે અને અમિત શાહ દર વર્ષે નવરાત્રીમાં માણસમાં પરિવાર સાથે જાય છે અને પૂજા કરે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ પોતાના પૈતૃક ગામની અંદર પૂજા- આરતી કરતા હોય છે.