સુરત અને મહેસાણામાં બે લોકોને હાર્ટ એટેક આવતા મોત

ગુજરાત
ગુજરાત

સુરતના ઈચ્છાપોરમાં નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. અમર કિશોરભાઈ રાઠોડ નામનો યુવક હીરા કંપનીમાં કામ કરે છે. ગત રોજ તે માતાની મૂર્તિ લેવા ગયો હતો, જ્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતુ. અમર રાઠોડના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. ત્યારે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.