તલાટી માટે ગ્રેજ્યુએશન ફરજિયાત, પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી તલાટીની પરીક્ષા આપવા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુએશન થયેલ ઉમેદવાર જ તલાટીની પરીક્ષા આપી શકે છે.
પંચાયત સેવા GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ બદલીને ગ્રેજ્યુએશન કરવામાં આવી છે. રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો દ્વારા હવેથી ઉમેદવારોની સંખ્યાના આધારે એક કરતાં વધુ દીવસ પરિક્ષા લેવામાં આવશે.