સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન

ગુજરાત
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં કોરોના ફેલાઈ નહી તેની તકેદારી માટે રાજ્ય ચૂંટણીપંચે ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીઓની નિમણૂંક કરીને અલગ હોલમાં જે તે મત વિસ્તારની મતગણતરીની વ્યવસ્થા કરવાની રહેશે.

એ સિવાય મતગણતરી હોલમાં 7થી વધારે ટેબલ નહી રાખવા, બની શકે ત્યાં સુધી મોટા હોલની જ પસંદગી કરવી, મતગણતરી સ્થળ સંપૂર્ણ સેનેટાઈઝ કરવું, જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે.

ગાઈડલાઈન પ્રમાણે મતગણતરીમાં જોડાયેલા કર્મચારીઓને થર્મલ ગનથી ચકાસણી બાદ જ સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે. વિજેતા થયેલા ઉમેદવાર મતગણતરીના સ્થળ સભા-સરઘસ કાઢી શકશે નહી. તેમજ મતગણતરી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી નોડલ ઓફિસરની રહેશે. મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનિટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.