પાવાગઢમાં મા કાળીના મંદિરના દરવાજા ખુલ્યા .

ગુજરાત
ગુજરાત

પાવાગઢ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. નવરાત્રિ બાદ પણ મંદિર ખોલાયું ન હતું. ત્યારે હવે આજે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો પાવાગઢ મા કાળીના દર્શન કરી શકશે.

નવરાત્રિમાં મા પાવાગઢવાળીનું અનેરું મહત્વ હોય છે. અહીં દર વર્ષે એટલા ભક્તો ઉમટી પડે છે કે, તળેટીથી લઈને મંદિર સુધી ભીડ જ ભીડ નજરે આવતી હોય છે. તેથી આવામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં મંદિર બંધ કરવામાં આવ્યું હતું.

મંદિરની બહાર એલઈડી પર દેવીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારથી નિજ મંદિર ભક્તો માટે ખોલી દેવાયું છું. ગત 16 ઓક્ટોબરે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જે 2 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યાં છે. નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શક્યા હતા. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.