હત્યા કરેલી આધેડની લાશ મળી દૂધેશ્વર સ્મશાન પાસે મંદિરના બાંકડા ઉપરથી

ગુજરાત
ગુજરાત

દૂધેશ્વર સ્મશાનગૃહ પાસેના મંદિરના બાંકડા ઉપરથી હત્યા કરેલી હાલતમાં રાજસ્થાનના જીમજીવી આધેડની લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતાં યુવક શાહપુર કોટ વિસ્તારમાં રહેતા અને મંદિર દર્શન કરવા ત્યારે કોઇક અજાણી વ્યક્તિએ બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું આવ્યું છે. આ કેસની વિગત એવી છે કે દસક્રોઇ તાલુકાના કાસીન્દ્રા ગામમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની અને છૂટક મજૂરી કરતા અજમલ ઘુલાજી નીનામા (મીણા, ઉ.વ.૨૨)એ પૂર્વ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ કરી છે રિવરફ્રન્ટ પોલીસે યુવકને ફોન કરીને પિતાના હત્યાની જાણ કરી હતી કે દૂધેશ્વર સ્મશાન પાસે મંદિરના બાંકડા ઉપરથી પિતા લાશ મળી છે. જેથી યુવકે આવીને લાશ પોતાના પિતા હોવાની ઓળખ આપી હતી.પોલીસ તપાસમાં યુવકના પિતા ધુલાજી હરજીભાઇ નીનીમા (મીણા, ઉ.વ.૫૫) શાહપુર કોટ વિસ્તારમાં ભાડેથી રહેતા અને છૂટક મજૂરી કરતા હતા, તેઓ તા. ૧૨ના રોજ દૂધેશ્વર સ્મશાનગૃહ પાસે આવેલા ચન્દ્રમોલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને કોઇક અજાણી વ્યકિતએ માથામાં બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હતી, પોલીસ તપાસમાં યુવક અને તેના પિતા વતનમાં નવરાત્રિ પહેલા મળ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.