સુરત : પોઝિટિવ કેસનો આંક ૧૦૮૭ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૪૯ અને રિકવર આંક ૭૦૮ થયો
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લાં પોઝિટિવ કેસનો આંક ૧૦૮૭ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક ૪૯ થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી ૨૦ અને જિલ્લામાંથી ૨ દર્દીઓ સહિત ૨૨ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૭૦૮ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
નવા પોઝિટિવ કેસોમાં પાલિકાની સફાઈ કામદાર, વિદ્યાર્થીની, એકાઉન્ટન્ટ યુવતી તેમજ મોચીનો સમાવેશ થયો છે. પાલિકાએ આ લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવાની સાથે તેમને ચેપ કેવી રીતે લાગ્યો તે પણ તપાસ શરૂ કરી છે.