સુરત : પોઝિટિવ કેસનો આંકડો ૮૨૫ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૩૭ અને રિકવરી આંક ૩૯૦ થયો

ગુજરાત
ગુજરાત

 

રખેવાળ, સુરત

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૨૫ થઈ ગઈ છે. જેની સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક ૩૭ થઈ ગયો છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૩૯૦ દર્દીઓ સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં વધુ ૫ શાકભાજી અને ફ્રુટ વિક્રેતાઓ તેમજ ૨ ડેરી સંચાલક, એક પાલિકા કર્મચારી, તબીબ અને બેન્ક મેનેજરનો સમાવેશ થયો છે.

૯થી ૧૪ મે સુધી એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આજથી શાકભાજીનો જથ્થો શહેરમાં વિતરણ થતો અટકી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શાકભાજાના ૨૫થી વધુ વિક્રેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં વધુ ૫ શાકભાજી અને ફ્રુટ વિક્રેતાઓ તેમજ ૨ ડેરી સંચાલકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે કોરોના સામે યુદ્ધ લડી રહેલા અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં એક પાલિકા કર્મચારી, તબીબ અને બેન્ક મેનેજરનો સમાવેશ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.