નર્મદામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો

ગુજરાત
ગુજરાત

નર્મદા જિલ્લામાં ગઈ કાલે કોમી તણાવ સર્જાયો હતો. જેમાં સેલંબા વિસ્તારમાં બજરંગ દળની શૌર્ય યાત્રા પર થયેલા હુમલા બાદ ભારે હિંસા થઈ હતી, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પથ્થરમારા બાદ આગચંપી પણ થઈ હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાલ સ્થિતિ કાબુમાં છે.

સેલંબામાં ગણેશ વિસર્જન બાદ મુસ્લિમ કોલોનીમાંથી પથ્થરમારો થયો હતો. બજરંગ દળ દ્વારા જાગરણ શૌર્ય યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન જ્યારે યાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે કેટલાક લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. આ યાત્રા દરમિયાન થોડી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર હતા, પરંતુ તેઓ ભીડને કાબૂમાં ન કરી શક્યા વધુ પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને ભીડને કાબુ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.