રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું નિધન

ગુજરાત
ગુજરાત

આજે ગાંધીનગર સ્થિત નિવાસેથી અંતિમ યાત્રા નીકળશે

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબા મનુભા નું 94 વર્ષની વયે નિધન થયું છે. જેમની અંતિમયાત્રા આજે સાંજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળશે.રાજ્યના કેબીનેટ સીનયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતૃશ્રી કમળા બા મનુભા ચુડાસમાં નું આજે બપોરે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને અંદાજ પત્રની ચર્ચા દરમ્યાન આ સમાચાર મળતા તેઓ તાબડતોબ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને મળવા પહોંચી ગયા હતા. અને ત્યાંથી સીધા તેમના સત્તાવાર નિવાસસ્થાને દોડી ગયા હતાં.

તો બીજી તરફ ગૃહમાં બજેટ પરની ચાલુ ચર્ચા વેળા એ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માતૃશ્રીની અવસાન ના સમાચાર વિધાનસભા સંકુલમાં વહેતા થતાં મુખ્યમંત્રી વિજય ભાઈ સહિત રાજય સ્કારનું પ્રધાનમંડળ ઉપરાંત કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત તમામ ધારાસભ્યોમાં દુ:ખની લાગણી પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રસિંહ ચુડાસમના માતૃશ્રી ની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી હાજરી આપે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.