શાળા-કોલેજો 15મી ઓગસ્ટ બાદ જ ખૂલશે, મંત્રી નિશંકની મોટી જાહેરાત.

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે. બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે. આ વાત ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહી છે.

આપને જણાવી દઇએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડ.રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની માહિતી તેમણે ગઇકાલે ટ્વીટના માધ્યમથી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.