રૂપાણી સરકારની આ જ્ઞાતિઓને દિવાળી ભેટ, 32 જ્ઞાતિઓને EBCનો હવે મળવા લાગશે લાભ

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકારે વિવિધ જ્ઞાતિઓની રજૂઆતો બાદ રાજ્ય સરકારે બિનઅનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. સામાજીક અને ન્યાય અધિકારિતા વિભાગે ઇબીસીમાં આ તમામ જ્ઞાતિનો સમાવેશ કર્યો છે. હવે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહેશે. નોંધનીય છે.

બિન અનામત વર્ગમાં રાજ્ય સરકારે વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમાં 20 હિંદુ અને 12 મુસ્લિમ જ્ઞાતિઓ છે. હવે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહેશે. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે વાલમ બ્રાહ્મણ , મોઢ વણિક ,મોઢ વાણિયા , રાયકવાળ બ્રાહ્મણ , પુરબિયા રાજપૂત ક્ષત્રિય , વાવિયા , હિંદુ મહેતા – જેઠી મલ્લ , જયેષ્ઠી મલ્લ – જોબનપુત્રા , પુષ્પકર્ણા બ્રાહ્મણ , સિધ્ધરૂદ્ર બ્રાહ્મણ જ્ઞાતિનો સમાવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બીજી જ્ઞાતિઓ જેવી કે પુરોહિત , મહેશ્વરી અગ્રવાલ , ઠક્કર , મારૂ રાજપૂત , રાવત-કુરેશી મુસ્લિમ , સુન્ની મુસલમાન વ્હોરા પટેલ-મોમીન , વૈદ્ય જ્ઞાતિ , મોમીન સુથાર -મુમન , ખેડવાયા મુસ્લિમ , મુસ્લિમ ખત્રી , ચૌહાણ મુસ્લિમ , મુસ્લિમ રાયમા , મિરઝા , પિંઢારા અને શિયા જાફરીનો બિન અનામત વર્ગમાં સમાવેશ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.