જેતપુરના અમનગરમાં લગ્નપ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારી જતાં 2ના સ્થળ પર જ મોત

ગુજરાત
ગુજરાત

રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર ગામ પાસે અકસ્માત થયો છે. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

ઘટનાની વિતગ અનુસાર અમરનગરથી જેતપુર તરફ આવતા ગોઝારો બનાવ બન્યો હતો. આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રંસગમાંથી પરત ફરી હતી. ત્યારે કાર અચાનક પલ્ટી મારી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી.

મૃતકના નામ
1. ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા(ઉં.વ.19), ચણાકા
2. કેવલ હેંમતભાઈ રાદડિયા (ઉં.વ. 20,) ચણાકા

ઈજાગ્રસ્ત
1. પ્રિયત અલ્પેશભાઈ નસીત (ઉં.વ. 17), નવાઝાજરીયા

અકસ્માતના પગલે પરિવાર સહિતના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર મામલે અકસ્માતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.