બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર ઉભરાતી ગટરના પાણીથી રહિશો હેરાન પરેશાન

ગુજરાત
ગુજરાત

બોટાદ શહેરમાં આવેલ ઢાંકણીયા રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને લોકોને હાલવું ચાલવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે. આ ગટરના પાણી જાહેર રોડ પર ફેલાતા ખૂબ જ ગંદકીનો ફેલાવો થાય છે અને મચ્છરનો ઉપદ્રવ થઈ રોગચાળો ફેલાવવાની પણ શક્યતા રહેલી છે.આ વિસ્તારના લોકો દ્વારા બોટાદ નગરપાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ રોડ પર ફેલાતા ગટરના ગંદા પાણી બંધ કરવામાં આવતા નથી. આથી આ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ પરેશાન થયેલ છે. જ્યારે નગરપાલિકાના કર્મચારી રજૂઆત અંગે સ્થળ પર આવી જોઈ અને જતા રહે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


ત્યારે આ વિસ્તારના રહિશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઉભરાતા ગટરના પાણી બંધ કરાવવામાં આવે તેવી રહિશો માગ કરી રહ્યા છે.હવે જોવુ રહ્યું કે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નકકર કામગીરી કરી આ ઉભરાતી ગટરના પાણી બંધ કરવામાં આવે છે કે કેમ? તેમ આ વિસ્તારના રહિશોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.