પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલી ચિંતન શિબિરમાં ચૂંટણી જીતવા આ વસ્તુ પર મુકાયો ભાર

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં આવેલા કમલમમાં પ્રદેશ ભાજપની ચિંતન બેઠકના બીજા દિવસે 8 વિધાનસભા પેટા ચૂંટણીઓમાં મળેલી જીતના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મંથન કરવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલી ચિંતન શિબિરની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા પેજ પ્રમુખ અને પેજ સમિતિઓ પર ભાર મુકવામાં આવ્યો.

પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપી. બેઠક બાદ પ્રમુખ પાટિલે જણાવ્યું કે ચિંતન શિબિરમાં 8 વિધાનસભા બેઠકો પર ભાજપની જીત માટે મતદારો અને કાર્યકર્તાઓમાં ક્યુ ફેક્ટર કામ લાગ્યું તેની ચર્ચા થઇ. તેમજ સરકાર અને સંગઠનમાં મહત્વના ક્યા મુદ્દાઓ રહ્યા તેની પણ ચર્ચા થઇ. સાથે જ જેમને પેટાચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી તેના મંતવ્યો પણ લેવામાં આવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.