આજથી વિધાનસભાનું 5 દિવસીય સત્ર શરૂ થશે, 6 બેઠક, 24 વિધેયક રજૂ થશે, સરકારને ઘેરવા વિપક્ષ તૈયાર

ગુજરાત
ગુજરાત

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળશે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 24 જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરાશે.

આ સિવાય રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે. એ તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદિલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-2020નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પાંચ દિવસનાં કામકાજ દરમિયાન છ બેઠક યોજવામાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે મળનારા આ સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે, જેમાં પ્રથમ બેઠકમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ગૃહના પૂર્વ સભ્યો અને કોરોનાની મહામારીમાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારા તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, સ્વૈચ્છિક સામાજિક-સંગઠનોએ કોરોના રોકવા કરેલી કામગીરીને બિરાદાવવા તેમને પ્રોત્સાહિત કરવા ખાસ અઢી કલાકની ચર્ચા આપવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.