ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી અંગે 29 સપ્ટેમ્બરની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય
કેન્દ્રીય ચૂંટણીપંચ આજે જાહેર કર્યું છે કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખો અત્યારે જાહેર કરવામાં આવશે નહીં, આ અંગે આગામી 29 સપ્ટેમ્બરે બેઠક યોજાશે, જેમાં આ 8 બેઠકની પેટાચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આજે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણીપંચ જે પત્રકાર પરિષદ યોજી રહી છે એમાં ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.