![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/sara_1599097646-2.jpg)
શ્રાદ્ધપક્ષ શરૂ થતાં માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં ઓનલાઈન પિંડદાન માટે પૂછપરછ, પણ બ્રાહ્મણોએ આવી વિધિની ના પાડી
દેશમાં માતાના મોક્ષ માટે પ્રખ્યાત સિદ્ધપુર પ્રખ્યાત માતૃગયા તિર્થધામમાં બુધવારથી શ્રાદ્ધપક્ષની શરૂઆત થતાં જ શ્રદ્ધાળુઓ માતાનું શ્રાદ્ધ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ આ વર્ષે મહામારીને લઈને દરેક બાબતો ઓનલાઇન થાય માટેના પ્રયાસો છે,પરંતુ માતૃગયા માટે ઓનલાઇન વિધિનું કોઈ મહત્વ ન હોઈ તીર્થધામમાં ઓનલાઇન પિંડદાનને ભૂદેવોએ અસ્વીકાર કરી રૂબરૂમાં આવીને જ મોક્ષ માટે પિંડદાન કરવાનું મહત્વ હોવાનું જણાવી રહ્યા છે.
ઉપંરાત તેઓ ઓનલાઇન બુકીંગ કરવાનું કે ઓનલાઇન વિધિ કરવાંનો પણ ઇન્કાર કરી રહ્યા છે. દેશભર માંથી દર વર્ષે ભાદરવા માસમાં સંતાનો માતાને મોક્ષની પ્રાપ્તિ થાય માટે પિંડદાન કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઇ ઓછી સંખ્યામાં યાત્રાળુઓ પિંડદાન અર્થે આવી સિદ્ધપુર બિંદુ સરોવરમાં આવેલ માતૃગયા તીર્થધામમાં આવી શકતા ન હોવાને કારણે ઘરે બેઠા ઓનલાઇન પિંડદાન કરવા માટે પૂછપરછ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યા છે.