માવઠાની આગાહીને લઇ રાઘવજી પટેલનું નિવેદન
- કૃષિ મંત્રીએ રાજકોટમાં માવઠાની આગાહીને લઇ નિવેદન આપ્યું
- ખેતીવાડી વિભાગને કરાયું એલર્ટ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટના એક કાર્યક્રમમાં માવઠાની આગાહીને લઇ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, માવઠાને લઇ તંત્ર સજ્જ છે. સાવચેતીના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડમાં પણ તૈયારીઓ કરી લેવાઇ છે. ખેતીવાડી વિભાગને પણ એલર્ટ કરાયું છે, જે વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે ત્યાંના ખેડૂતોને એલર્ટ કરાયા છે તેમજ તંત્રને પણ આદેશ આપી દેવાયા છે. ઇશ્વરને પ્રાથના કરું છું આગાહી સાચી ન પડે.
રાઘવજીએ માહિતી આપતા જણાવ્યું કે, તકેદારીના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડ બંધ કરવા, ખેડૂતોનો પાક પલળતો બચાવવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે અને ખેતીવાડી વિભાગ સાથે રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સજ્જ છે. જોકે ફરી એકવાર તેઓએ માવઠું નહીં જ આ