વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી, સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલા લેવા માંગ

ગુજરાત
ગુજરાત

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી થઇ છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરીવાર વતી લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી કરી છે. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા અને વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.

આ ઘટનાની તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે. આ કેસમાં વડોદરા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસપિલ કમિશનરને પાર્ટી બનાવવા રજૂઆત કરાઇ છે.અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદાકીય પગલાં લેવામાં આવે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.