PM મોદી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, અસરગ્રસ્તોના પૂછી રહ્યા છે હાલચાલ

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમણે ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PM મોદી હવે મોરબી SP ઓફિસે જવા રવાના થશે. જ્યાં હાઇલેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે.PM મોદી મોરબીએ ઘટનાનું નિરીક્ષણ કરી મોરબીમાં અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો. દુર્ઘટના સ્થળે મોદી 10 થી 15 મિનિટ રોકાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.