દહેજ -ભરૂચ રેલવે ટ્રેક પર ફાટક પરથી પસાર થઈ રહેલી ઈકો ટ્રેનની અડફેટે આવી

ગુજરાત
ગુજરાત

ભરૂચથી દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવેની ફાટક પરથી ઈકો પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ઈકો આવી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગસરતો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

દહેજ – ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઇ રહી હતી, ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે આવતા ઈકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.