NSUIના નિખિલ સવાણીના અ’વાદ પોલીસ પર સણસણતા આરોપ, કહ્યું- પોલીસ મનેપ
JNU હિંસા મામલે મંગળવારે અમદાવાદના પાલડી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના કાર્યકરો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘર્ષણમાં ABVPના કાર્યકરો લાકડીઓ, પાઈપો લઈ NSUIના કાર્યકરો પર તૂટી પડ્યા હતા. જેમાં NSUIના નિખિલ સવાણીને પણ ઈજા થઈ હતી. આ ઘટના બાદ નિખિલ સવાણીએ ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ અન્ય ABVPના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ત્યારે હવે NSUIના મહામંત્રી નિખિલ સવાણીએ એક ટ્વીટ કરી ગંભીર આરોપ લગાવ્યો છે. નિખિલ સવાણીએ પોલીસ ફરિયાદ ન લેતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ઋત્વિજ પટેલનું નામ હટાવવા દબાણ કરી રહી છે. નિખિલે કહ્યું કે ફરિયાદ દાખલ નહીં થાય તો CP ઓફિસે ધરણાં કરીશે. આપને જણાવી દઈએ કે ઋત્વિજ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે.