![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-210.jpg)
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં સવારે 6થી 12 વાગ્યા દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ગિરનારનાં પગથિયાં પરથી વહેતાં પાણીનાં દૃશ્યો સર્જાયાં હતાં.
જૂનાગઢ શહેરમાં આજે સવારે 6થી 12 દરમિયાન 4 ઈંચ વરસાદ ખાબકતાં નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું હતું, જેને કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ઝાંસીની રાણીના પૂતળા પાસે, સરદાર બાગ નજીક, આનંદ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી હતી.