અમદાવાદમાં તબેલામાં સૂતેલા વ્યક્તિની હત્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં અવારનવાર હત્યાની ઘટના સાંભળવા મળે છે. એવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હેબતપુર ગામમાં 26 વર્ષીય જયેશ રમેશભાઇ ભરવાડ રહેતો હતો અને પશુપાલનનું કામ કરતો હતો.જયેશ તેનાં ઘર નજીક આવેલા તબેલામાં સૂવા માટે જતો હતો. બીજા દિવસે ઘરે પાછો ના આવતાં જયેશના પિતા રમેશભાઈએ તેને ફોન કર્યો, ફોન ન ઉપાડતા રમેશભાઈએ જયેશના મિત્રોને વાડામાં તપાસ કરવા મોકલતાં જાણવા મળ્યું કે જયેશ બેફામ અવસ્થામાં પડયો છે.જયેશને બેભાન અવસ્થામાં ઘરે લાવીને ડોક્ટરને બોલાવતા ડોક્ટરે આવીને તપાસ કરતા જયેશને મૃત જાહેર કર્યો હતો. બોડકદેવ પોલીસને મૃતદેહના પીએમ પરથી જાણવા મળ્યું કે જયેશનું મૃત્યું ગળું દબાવવાથી કે માથામાં ઈજા પહોંચાડવાથી થયું છે. પોલીસે આ ઘટના અંગે હત્યાનો કેસ દાખલ કરી હત્યારાને શોધી હત્યાં અંગેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.