અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત 10 લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓને હાઇવે પર અકસ્માત નડ્યો છે. હાઇવે પર ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે.આ ગમખ્વાર અકસ્માત બગોદરા મીઠાપુર પાટિયા પાસે સર્જાયો હતો. જ્યાં ટ્રક પાછળ મીની ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં મોતને ભેટનારા કપડવંજના સુધાગામના રહેવાસી હોવાની પ્રથામિક જાણકારી મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, દર્શનાર્થીઓ ચોટિલાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે ફરી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, છેલ્લા સાતેક વર્ષથી હાઇવેનું મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે અને જગ્યાએ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવે છે. જેના કારણે પણ અકસ્માત સર્જાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.