અમદાવાદમાં છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,600થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદીઓ સાવધાન, રખડતાં શ્વાનના કરડવાના કેસનો આંકડો જાણી ચોંકી જશો. જેમાં શહેરમાં રોજના દોઢસોથી વધુ લોકો શિકાર બની રહ્યાં છે. નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાના જન્મની સિઝન વખતે વધુ કેસ સામે આવે છે. વહેલી સવારે, રાતે વાહન પાછળ દોડતાં કૂતરાને લીધે સર્જાતા અકસ્માતની સંખ્યા પણ વધી છે. છેલ્લા એક વર્ષમાં 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે.

અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે, એકંદરે રોજ દોઢસોથી વધુ લોકો કૂતરાનો આતંકનો શિકાર બની રહ્યા છે. એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 જ્યારે સોલા સિવિલમાં એક વર્ષમાં 8012 લોકોને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે. આમ એક વર્ષમાં બે સિવિલ હોસ્પિટલમાં જ રોજના 45 જેટલા દર્દીઓ નોંધાયા છે, મોટા ભાગના કેસમાં નાની વયના બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.