15 ડિસેમ્બરે મોદી ગુજરાતમાં, કચ્છના ધોરડો ખાતેથી 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

ગુજરાત
ગુજરાત

આગામી 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના ધોરડો ખાતેથી માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાના 100 એમ.એલ.ડી. ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર ભાઈ મોદીની ક્ચ્છ મુલાકાતનો મામલો એસપીજીની ટીમે અગ્ર હરોળની સુરક્ષા વ્યવસ્થા સંભાળી બંદોબસ્તમાં જોડાનારા પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ક્ચ્છ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આઇપીએસ અને અન્ય પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે.

વડાપ્રધાન 15 ડિસેમ્બરે એક દિવસ માટે કચ્છ આવી રહ્યા છે. PM મોદીની ક્ચ્છ મુલાકાતને પગલે સુરક્ષા માટે એસપીજીની ટીમ આજે કચ્છમાં તૈનાત કરાઈ રહી છે. મોદી બપોરે ટેન્ટસિટીમાં સભા સંબોદ્યા બાદ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. જ્યારે સાંજે સફેદ રણની ચાંદની નિહાળ્યા બાદ દિલ્લી જવા રવાના થશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા. પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે ટેન્ટના મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા સંજોગોમાં કચ્છના સફેદ રણમાં આવેલા ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ કર્યો છે.

તંબુ નગરીની બાજુમાં વિશાળ ડોમ ઊભો કરાશે

માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારસુધીનો રેકોર્ડ રહ્યો છે કે અમે લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપતા જ નથી. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રાજકોટની પેઢી દ્વારા વિશાળ ડોમ અને હેલિપેડની વ્યવસ્થા કરાશે. હેલિપેડ તો અગાઉથી તૈયાર જ છે અને મંજૂર થયેલા ભાવ મુજબ રાજકોટની પેઢીને ડોમ ઊભું કરવાનું ટેન્ડર અપાયું છે.

લંચ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર મળ્યું છે

ધોરડોમાં તંબુ નગરી ઊભી કરનારી પેઢી લલ્લુજી એન્ડ સન્સના મેનેજર ભાવિક શેઠનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી રણોત્સવમાં પણ બજાર સહિત બહારનાં કામોનું ટેન્ડર મળતાં નથી. મોદીના કાર્યક્રમને પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર અમને અપાયું છે અને વડાપ્રધાનના લંચની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ.

રણોત્સવમાં પ્રવાસી ઘટતાં મોદીએ અધિકારીઓને ઝાટક્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે મંગળવારે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાને વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ધોરડોમાં યોજાઈ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાને લઇને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

પ્રવાસીઓને આકર્ષવા વિવિધ જાહેરાતો કરાશે

કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાથી વડાપ્રધાન મોદીએ પ્રવાસન અધિકારીઓને ખખડાવી નાખ્યા છે, જેને પગલે જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવમાં વિવિધ જાહેરાતો મુકાશે અને માધ્યમો દ્વારા એનો પ્રસાર કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.