સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણમાં ભેખડ ધસી; 4 લોકોના મોતની આશંકા

ગુજરાત
ગુજરાત

સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ભેખડ ધસવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ખંપાળીયા ગામમાં કોલસાની ખાણમાં ભેખડ ધંસવાની દુર્ઘટના સર્જાઇ હતી. આ બનાવમાં 4 લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર પંથકના ખંપાળીયા ગામમાં કોલસાની ખાણમાં હતી. જે દરમિયાન ભેખડ ધસી પડ્તા દુર્ઘટના થઈ છે. જેમાં 4 લોકોના મોતની આશંકા છે. મળતી માહિતી અનુસાર આ ખાણ ગેરકાયદેસર હોવાની શક્યતા છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલા હોવાનું સામે આવ્યુ છે. આ કોલસાની ખાણ પર સરા જિલ્લા પંચાયત બેઠકના સભ્યના પતિની માલિકીની હોવાની ચર્ચાઓ છે. બીજી તરફ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.