વાયનાડમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. આ વિસ્તારમાં 400થી વધુ લોકો ફસાયેલા છે. બચાવકર્મીઓ માટે અહીં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે મેપ્પાડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે મલપ્પુરમમાં નિલામ્બુર વિસ્તારમાં વહેતી ચાલિયાર નદીમાં ઘણા લોકો વહી ગયા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું હતું કે વાયનાડમાં મેપ્પડી પંચાયત હેઠળના મુંડક્કાઈ અને ચુરલમાલા ગામોમાં અનેક ભૂસ્ખલનની જાણ થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.