ખેડા સીરપ કાંડનાં આરોપીઓ દસ દિવસનાં રિમાન્ડ પર
ખેડામાં આયુર્વેદિક સીરપ કાંડમાં 6 લોકોનાં મૃત્યું થવાનાં મુખ્ય આરોપમાં વડોદરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની સીરપકાંડનાં આરોપમાં ધરપકડ કરી છે. જેમને નડિયાદ કોર્ટમાં રજૂ કરાયા અને કોર્ટે દસ દિવસનો રિમાન્ડ રજૂ કર્યો છે.
સીરપકાંડમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં મુખ્ય સુત્રધાર ગણાતા બે આરોપીની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને નડિયાદ કોર્ટ દ્વારા દસ દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.
સીરપ કાંડના પાંચ આરોપી નડિયાદના યોગેશ પારૂમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સોઢા(પૂર્વે તાલુકા ભાજપ કોષાધ્યક્ષ) તેના ભાઈ ઈશ્વરભાઈ સોઢા અને વડોદરાના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઈશ્વર સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બન્ને હાલ દસ દિવસના રિમાન્ડ પર છે.