![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/10/MOT-1.png)
દાહોદમાં રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો કાળમુખો અકસ્માત, ઘટનામાં 6 લોકોના મોત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે. આવી જ અકસ્માતની ઘટના દાહોદ જિલ્લામાં બની છે. દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં કેટલાક લોકોના મોત નિપજે છે. આવી જ અકસ્માતની ઘટના દાહોદ જિલ્લામાં બની છે. દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે.બેફામ ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જોયો હતો.જેમાં 1 ગંભીર ઈજાગ્રસ્ત છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ગરબાડા પોલીસ સ્ટેશ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી છે.