![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/IPS.png)
IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વલસાડના મરીન સિક્યોરિટીમાં એસીપી તરીકે ફરજ બજાવતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો હતો. IPS નો પરિવાર, ત્યાં જ તેમની પત્નિએ ગળેફાંસો ખાદ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.
IPSના પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ આ અંગે પોલીસે ઘરમાં તપાસ હાથ ધરી અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.