જૂનાગઢ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ગુજરાત
ગુજરાત

અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપે લોકસભા ની ચૂંટણી નું રણસિંગું ફૂંકી દીધું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે. ત્યારે કાર્યકર્તાઓ સંગઠનો ,રાજકીય ,આગેવાનો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની ઉપસ્થિતિમાં બહાઉદીન કોલેજ નજીક જૂનાગઢ ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યાલય ઉદ્ઘાટનમાં ધારાસભ્યો સાંસદ પ્રભારી જિલ્લા અને શહેર પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના કામ કરવા માટે સક્રિય થયુ.ત્યારે ગુજરાતની 26 પૈકી 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી છે. ભાજપ તમામ લોકસભા બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરશે.


રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે જુનાગઢ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય, મેયર ડે.મેયર,તેમજ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં એક જ સાથે તમામ સીટો પર ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મુકવામાં આવ્યા છે. ચૂંટણી જ્યારે પણ જાહેર થાય પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ચુંટણી રોડ મેપ બનાવવામાં આવ્યો છે. તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય જે. પી નડ્ડા તમામ સાથે વર્ચ્યુઅલી જોડાઈ માર્ગદર્શન આપશે.ત્યારે વધુમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગઈકાલે જે રીતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે અને સૌ કોઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.