![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/phpThumb_generated_thumbnail-1-4.jpeg)
વડોદરામાં પોઝિટિવ કેસનો આંક 1270 પર પહોંચ્યો,767 દર્દી રિકવર થયા અને મૃત્યુઆંક 47
વડોદરા
વડોદરા. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1270 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 47 થઈ ગયો છે. જ્યારે શહેર જિલ્લામાં કોરોનાને મ્હાત આપી સજા થનારની સંખ્યા 767 પર પહોંચી ગઈ છે.
શહેરમાં હાલમાં કુલ 456 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે જેમાંથી 94ની હાલત ચિંતાજનક છે. જેમાંથી 57ને ઓક્સિજનની અને 37ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ 26 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરાયા હતા.