![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/untitled1_1602393504.jpg)
સુરતના પીપલોદમાં કાર ચાલકે બેને કચડી, બંને યુવક 100 મીટર સુધી ઘસડાયા
શહેરના પીપલોદ ખાતે કારગીલ ચોક પાસે શનિવારે મોડી રાત્રે અજાણ્યા કાર ચાલકે બે રાહદારીઓને કચડી નાખ્યા . બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું . આ ઘટનાને પગલે ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ચાલક બંને યુવકોને 100 મીટર સુધી ઘસડી ગયો હતો.
પીપલોદ કારગીલ ચોક પાસે મોડી રાત્રે એક કાર પૂરપાટ અડફેટે બે રાહદારીઓ ચડ્યા હતા. જેને કાર ચાલકે 100 મીટર સુધી ઘસડી . જેના કારણે બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકનું પગેરું શોધવા તપાસ શરૂ.
બંને મૃતકો પૈકી એક મૂળ ઉત્તરાખંડનો વતની છે. જ્યારે બીજો સુરત જિલ્લાનો વતની છે અને પાર્લે પોઇન્ટની હોટલમાં કામ કરે . જેમા એકનુ નામ પરેશ માલવી અને બીજાનું નામ ગોવિંદ હોવાનું જાણવા મળ્યું . વધુમાં મળતી માહિતી અનુસાર પરેશ છેલ્લા નવ વર્ષથી હોટલમાં નોકરી કરતો . પરેશ ઉમરા ગામમાં ભાડેના મકાનમાં પત્ની અને એક સંતાન સાથે રહે છે. જ્યારે ગોવિંદ 8 વર્ષથી હોટલમાં નોકરી કરે છે.