ગુજરાતમાં આજે કોરોનાના નવા 1204 કેસ સામે 1300થી વધુ દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટી ગયું છેલ્લા અઠવાડિયામાં કેસોના ઘટવાનો સિલસિલો જોવા મળ્યો છે. દિવાળી બાદ જ્યાં 1500થી વધુ કેસો આવતા હતા. ત્યાં હવે 1200 જેટલા જ કેસો સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1204 કેસો નોંધાયા છે. જ્યારે 12 દર્દીઓના મૃત્યુ થયા છે અને 1338 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13413 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4160 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 226508 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ 260,
સુરત 178,
વડોદરા 157,
રાજકોટ 126,
ગાંધીનગર 56,
જામનગર 49,
મહેસાણા 43,
કચ્છ 33,
દાહોદ 29,
ભાવનગર 28,
જૂનાગઢ 27,
સાબરકાંઠા 23,
ખેડા 22,
અમરેલી 20,
મોરબી 20,
પાટણ 18,
સુરેન્દ્રનગર 17,
બનાસકાંઠા 15,
નર્મદા 12,
આણંદ 11,
ભરૂચ 11,
પંચમહાલ 10,
ગીર સોમનનાથ 8,
અરવલ્લી 6,
મહીસાગર 6,
દેવભૂમિ દ્વારકા 5,
છોટા ઉદેપુર 4,
તાપી 4,
પોરબંદર 3,
વલસાડ 2,
બોટાદ 1.