સિરપકાંડ બાદ સરકાર એક્શનમાં, આયુર્વેદિક દવા, સિરપના વેચાણ માટે લાઇસન્સ લેવું ફરજિયાત
ગુજરાતમાં ખેડા સીરપ કાંડ બાદ સરકાર સતર્ક બની છે. હવેથી આયુર્વેદિક દવા, સિરપના વેચાણ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવાં માટે સરકાર એક્શનમાં આવ્યુ છે. અત્યારે આયુર્વેદિક દવા કે સિરપનું મંજૂરી વિના વેચાણ કરી શકાય છે.
આ કારણે આયુર્વેદિક દવામાં આલ્કોહોલ ભેળવી બિનકાયદેસર વેચાણ કરે છે. હાલમાં જ ખેડામાં નશીલી સીરપનાં કારણે 8 લોકોનાં મોત થયાં છે. તેનાં લીધે સરકાર એક્શનમાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આયુર્વેદિક દવા, સિરપના વેચાણ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવાં માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.