અંકલેશ્વરમાં દોઢ કલાકમાં 5 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર,રોડ પર નદી વહી

ગુજરાત
ગુજરાત

અંકલેશ્વર શહેરમાં માત્ર દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે, જેને પગલે ઘર, દુકાન અને મંદિરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

ભરૂચમાં અઢી ઇંચ વરસાદમાં બજારોમાં નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું હતું, જેને પગલે તમામ દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. ભરૂચમાં માત્ર અઢી ઇંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જેને પગલે ભરૂચવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અંકલેશ્વર શહેરમાં દોઢ કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અંકલેશ્વરના GIDC સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી સિવાય કંઈ જોવા મળતું નથી.

અંકલેશ્વરમાં ભારે વરસાદને પગલે કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતાં દુકાનમાલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દુકાનનો તમામ સામાન પલળી જતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

અચાનક જ ભારે વરસાદ વરસતાં અંકલેશ્વરમાં વાહનચાલકો અટવાઈ ગયા હતા અને રિક્ષા સહિતનાં વાહનો બંધ થઈ જતાં ધક્કા મારીને વાહનોને ઘરે પહોંચાડવા પડ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.