વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ 10 કલાક બાદ પણ બેકાબૂ, કોઈ જાનહાનિ નહીં

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.જોકે છેલ્લા 10 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. ફાયરના જણાવ્યા પ્રમાણે, હજુ આગ બે કલાકે કાબૂમાં આવે તેવી શક્યતા છે.

મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી 15 પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત 35 જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.

ફાયરબ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલ 730 નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનિયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જે આગ પ્રસરીને બાજુમાં આવેલી અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાને કારણે આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી ગઇ હતી. આગના બનાવની જાણ જીઇબીને કરવામાં આવતાં જીઇબીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ સાથે પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી જઇ આગની કામગીરીમાં જોડાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.