ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,આજથી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની થઈ શરુઆત

ગુજરાત
ગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનાં સમાચાર સામે આવ્યાં છે. ડિગ્રી એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ આજથી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરી શકે છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર આ અંગેની માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ 16 જાન્યુઆરી સુધી ગુજકેટમાં ફોર્મ ભરી શકે છે.

ગુજકેટની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. આ અગાઉ ગુજકેટની પરીક્ષા માટે બોર્ડ દ્વારા 2 એપ્રિલની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ સીબીએસઈ બોર્ડની પરીક્ષાના કારણે 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનું નક્કી કરાયુ છે. 2 જાન્યુઆરીની 16 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે.

આ પરિક્ષા અંગેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ gujcet.gseb.org પર મુકવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.