![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/હું-સીધી-રીતે-કોઈ-પાર્ટીનો-hed.jpg)
હું સીધી રીતે કોઈ પાર્ટીનો પ્રચાર કરતો નથી : શંકરભાઈ ચૌધરી
આચાર સંહિતા ફરીયાદ મામલે વિધાનસભા અધ્યક્ષનો ખુલાસો: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ હતી. જે મામલે ડીસાના સમશેરપુરામાં માલધારી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપતા ખૂલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો, કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે’
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે તેમજ અનેક જગ્યાએ ચૂંટણી ભંગ મામલે પણ સામસામે ફરિયાદો ઉઠી છે. જેમાં કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે. જે મામલે તેમણે ખુલાસો કર્યો હતો.