ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં : ન્યાય યાત્રાની શરૂઆત, કોંગ્રેસના મોટા નેતાઓને પણ આમંત્રણ

ગુજરાત
ગુજરાત

આજે આ ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી નીકળી હતી અને ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા યોજાશે. ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસનાં આગેવાન અને પીડિત પરિવારની બેઠક યોજાઈ હતી. ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે.  મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે (9 ઓગસ્ટ)થી કોંગ્રેસ ન્યાય યાત્રા યોજી રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. 9 ઓગસ્ટથી મોરબીના દરબાર ગઢ ખાતેથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે. જે 300 કિલોમીટરનું અંતર કાપીને ગાંધીનગર ખાતે પૂર્ણ થશે.

દિગ્ગજ નેતાઓ રહી શકે છે હાજર: જે બાદ આ ન્યાય યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદ પહોંચશે. ત્યારબાદ અમદાવાદથી 23 તારીખે આ ન્યાય યાત્રા ગાંધીનગર પૂર્ણ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા માટે મોટા નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ સામેલ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.