ગુજરાતના ૪ શહેર કરતાં અમદાવાદના માત્ર મધ્ય ઝોનમાં સૌથી વધુ ૧૧૧૧ કેસ નોંધાયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : અમદાવાદના મધ્ય ઝોનમાં પોઝિટિવ કેસનો કુલ આંક એક હાજરને પાર થઈ ગયો છે. અહીં કુલ કેસની સંખ્યા ૧૧૧૧ પર પહોંચી છે અને અત્યારસુધી કુલ ૬૫ લોકોના મૃત્યુ થયા છે. આ ઝોનનો મોટાલિટી રેટ પણ પાંચ ટકાથી વધુ છે. રાજ્યના અમદાવાદ સિવાય કોઈ પણ મહાનગરમાં એક હજારથી વધુ કેસ નોંધાયા નથી.
સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ૨૯ એપ્રિલની સ્થિતિએ કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૯૭૨ થાય છે. ત્યારે આ ચાર મહાનગરો કરતા પણ અમદાવાદના છ વોર્ડ ધરાવતા મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસ છે.
શહેરના અન્ય ઝોન કરતા સૌથી વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુ આ ઝોનમાં થયા છે. શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી ૪૪ ટકા કેસ માત્ર મધ્ય ઝોનમાં નોંધાયા છે. જમાલપુર વોર્ડમાં જ સૌથી વધુ ૫૫૭ જેટલા કેસ નોંધાય છે. આ ઝોનમાં જ સૌથી વધુ મૃત્યુ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.