![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/09/bus-1.png)
કામરેજ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 લોકોને ગંભીર ઈજા
રાજ્યમાં અકસ્માતના વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. જેમાં 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં 25 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં બસ અને ટેન્કર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
વિગતો મુજબ કામરેજ ને.હા. 48 પર અમદાવાદ- મુંબઈ જતા મુસાફર ભરેલી એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન દૂર્ઘટના સર્જાઈ છે. કાર ચાલકને બચાવવા જતા બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.